પરિચય


મેઘધનુષી શબ્દોના સર્જક – કે. ડી. સેદાણી


શ્રી કિશોરકુમાર ધીરજલાલ સેદાણીનો જન્મ બાબરા મુકામે ૧૫મી એપ્રિલ-૧૯૬૫માં થયો હતો. પ્રાથમિક થી માંડીને માધ્યમિક સુધીનું શિક્ષણ બાબરા મુકામે મેળવેલ. અભ્યાસ પૂર્ણ કરી નીજી વેપારક્ષેત્ર માં જોડાયા.
બાબરા ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ તરીકે ત્રણ વર્ષ પ્રશંશા પાત્ર કામગીરી કરેલ. બાબરા વિસ્તારના વિવિધ પ્રશ્નો-શિક્ષણ, આરોગ્ય, બેંક અને ડાયમંડ ઝોન વગેરેની રજુઆતો કરેલ. અનેક વણઉકેલ પ્રશ્નોનાં ઉકેલ આવ્યા. હાલ તેઓશ્રી ચેમ્બર્સ ઓફ કોમર્સનાં મંત્રી તરીકે સેવા આપે છે.
ગુજરાતનાં નામાંકિત દૈનિકપત્રોમાં લેખો લખીને જે તે તંત્રને જાગૃત કરે છે. તેમજ અંધશ્રધ્ધા અને જૂની રૂઢિઓ વિરુદ્ધ કલમ ચલાવીને સમાજને આધુનિકતાની રાહ બતાવી નવજાગૃતિ તરફ જવા દિશા નિર્દેશ કરે છે. તેઓશ્રીએ સાહિત્ય ક્ષેત્રે પણ નામના મેળવી છે. જેવા કે ગીત, ગઝલ, બાળકાવ્યો, પ્રસંગકથાઓ, ટૂંકીવાર્તાઓ, અને કટાર લેખો વગેરે. અકિલા, ફૂલછાબ, જનસત્તા, ગુજરાત-સમાચાર, સમભાવ, રંગતરંગ, મુંબઈ સમાચાર, જન્મભૂમી-પ્રવાસી અને અભિયાનમાં તેઓનું સાહિત્ય સર્જન વાંચવા મળે છે.
આકાશવાણી રાજકોટ કેન્દ્ર ઉપરથી તેમના વાર્તાલાપો અને મુલાકાતો તેમ જ ગઝલ અને કાવ્યોનું પ્રસારણ અવારનવાર સંભાળવા મળે છે. આકાશવાણીના યુવાવાણી કાર્યક્રમમાં તથા પાંગરતી પ્રતિભા અંતર્ગત શ્રેણીમાં તેઓની મુલાકાતો પણ પ્રસારિત થાય છે. તેઓ યુવાનોનાં વ્યક્તિત્ય વિકાસ માટે સદા તત્પર રહે છે. સમાજસેવા અને સાહિત્ય ક્ષેત્રે યથાશક્તિ યોગદાન બક્ષી પ્રસંશનિય કાર્ય પણ કરે છે.
તેઓ ‘આકાશ’ નાં ઉપનામથી કાવ્યસર્જન કરે છે.